સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

કલ્યાણપુરના ટંકારીયા નજીક રિવર્સ આવતાં જેસીબીની ઠોકરે યુવાનનું મોત

રોડ બનાવવાનું કામ ચાલતું હોય ત્યારે જેસીબી ચાલકની બેફિકરાઈના કારણે બનાવ બન્યોઃ ચાલક વિરૂધ્ધ ગુનો

ખંભાળિયા તા.૧૨ કલ્યાણપૂર તાલુકાના ટંકારીયા-રાવલ વચ્ચે સેડનું કામ ચાલી રહયું હોવાથી જેસીબીથી ખોદકામ કરાતું હતું તે ( દરમ્યાન ટૅકારીયા વાડી વિસ્તારમાં રહેતા વજશીભાઈ દદભાઈ જાદવ (ઉવ.૪૦)ના કોળી આધેડ પોતા નદ મોટર સાઈકલ ન. જી.જે. ૯ એ.કે.૯૩૯૨ ની લઈ રોડ પરથી પસાર થતાં હતા ત્યારે જી.જે.૧૦ એકસ ૯૦૮૮ નંબર ના જેસીબી ચાલક બેફિકરાઈ પૂર્વક જેસીબી રિવર્સમાં લેતા પાછળથી આવતા બાઈક ચાલક આધેદડ સાથે અથડાતાં ગભીર ઈજાઓ થઈ હતી અકસ્માત થતા આસપાસના લોકો સહિતના દોડી આવી ૧૦૮ને જાણ કરી હતી અને આધેડને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં પરંતુ સારવાર કારગત નિવડે પહેલા જ તેમનું મોત નિપજયું હતુ. બનાવ અંગે મૃતકના કૌટુંબિક ભાઈ મોહનભાઈ નાથાભાઈ જાદવે ઉપરોકત જેસીબી ચાલક વિરુધ્ધ કલ્યાણપુર પોલીસ મથમ ઇફરીયાદ નોંધાવી છે. મૃતક વજશીભાઈ ખેત મજૂરી કામ કરતાં હતા અને સંતાનમાં આઠ પુત્રી અને એક પૂત્ર છે. અને પોતે ચાર ભાઈ ચાર બહેનમાં છઠ્ઠા નંબરે હતા. પોલીસે જેસીબી ચાલક વિરુઘ્થ ગૂનો નોંધી આ ગળની કાર્યવાહી હાથ ઘરી છે.

(1:43 pm IST)