સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

વાંકાનેરમાં પાર્થગીરી પર છ શખ્‍સોનો હુમલો

અગાઉ થયેલ ડખ્‍ખાનો ખાર રાખી ધોકા સાથે તૂટી પડયાઃ અમજદઅલી, વિશાલ,હરશીદ તથા ત્રણ અજાણ્‍યા શખ્‍સો સામે પોલીસમાં ફરીયાદ

વાંકાનેર તા.૧૧: વાકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખી બાવાજી યુવાન પર છ શખ્‍સોએ હુમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ વાંકાનેર પુલદરવાજા, શાક મારર્કેટ પાસે પાર્થગીરી પંકજગીરી ગૌસ્‍વામી (ઉ.વ.૨૩) જીનપરાવાળા પર છ શખ્‍સોએ હુમલો કરતા પોલીસે આઇપીસી ૧૪૩-૩૨૩-૫૦૪-૫૦૬/૨ અને ૧૩૫ મુજબનો ગુનો દાખર કરી આરોપીઓ અમજદઅલી ઉર્ફે ટકો વિશાલ સંજયભાઇ હરશીદ દિનેશભાઇ સોમાણી તેમજ ત્રણ અજાણ્‍યા શખ્‍સો સામે ગુનો દાખલ કરેલ છે.

અગાઉ સાહેદ કુલદીપસિંહ જાડેજાના ભાઇ યશરાજસિંહ તથા આરોપીઓ વચ્‍ચે માથાકુટ થયેલ તેનું વેર રાખી આરોપીઓએ પાર્થગીરી ગોસ્‍વામીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી, ઢીકા પાટુ અને ધોકાથી હુમલો કરી ગંભીર ઇજા કરતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની તપાસ મહિલા પીએસઆઇ પી.સી.મોલીયા ચલાવી રહ્યા છે હજુ સુધી કોઇ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

(1:22 pm IST)