સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

સુરેન્‍દ્રનગર જિલ્લામાં લીલો દુષ્‍કાળ જાહેર કરવાની માંગ સાથે કોંગેસ મેદાને....

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૨: સુરેન્‍દ્રનગર જીલ્લા કોંગ્રેર્સં સમિતિના તમામ હોદ્દેદારશ્રીઓ,જીલ્લા પંચાયતના સદસ્‍યશ્રીઓ,તાલુકા પ્રમુખશ્રીઓ,તાલુકા કોંગ્રેસ સમિતિનાં હોદ્દેદારશ્રીઓ,તાલુકા પંચાયતના સદસ્‍યશ્રીઓ,શહેર પ્રમુખશ્રીઓ, શહેર સમિતિના હોદ્દેદારશ્રીઓ, સેલના પ્રમુખશ્રીઓ,સેલના હોદ્દેદારશ્રીઓ, અને સુરેન્‍દ્રનગર જીલ્લા કોંગ્રેસના તમામ આગેવાનશ્રીઓ અને કાર્યકરોને રાષ્ટ્રીય પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધીજી, પ્રભારિ રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચનાથી સમગ્ર દેશમાં પ્રવર્તમાન પરિસ્‍થિતિ ને લઈને જેવી કે ખેડૂતોની બેહાલ સ્‍થિતિ, બેરોજગારી, આર્થીક મંદી, મોંઘવારી,ખાસ કરીને ર્ંસુરેન્‍દ્રનગર જિલ્લાને લીલો દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવા  જેવી અનેક લોકોની સમસ્‍યાઓને લઈને ર્ંજનવેદના આંદોલર્નં કરવાની સુચના મળી છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ હોદ્દેદારશ્રીઓ એ ખુબ મોટી સંખ્‍યામાં પોતાના વિસ્‍તારના લોકોને સાથે રાખીને હાજર રહેવાᅠખેડૂતોને આમંત્રણ અપાયું છે.

(1:22 pm IST)