સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

જૂનાગઢમાં ઝુંપડપટ્ટી રેગ્યુલર કરવા મહાનગરપાલીકાને રજૂઆત

જૂનાગઢ તા.૧૨ : ઝૂંપડપટ્ટી પરિષદના પ્રમુખ લાખાભાઇ પરમારે જૂનાગઢના મેયરને એક પત્ર પાઠવી જૂનાગઢ શહેરી વિસ્તારની ઝુંપડપટ્ટી રેગ્યુલર કરવા માંગણી કરી છે.

રજૂઆતમાં જણાવેલ છે કે ઝુંપડપટ્ટી રેગ્યુલર કરવા માટે મનપા. જનરલ બોર્ડમાં ઠરાવના તા. ૧૭-૩-૨૦૦૫ના રોજ કરાયેલ. જેમાં રામદેવ મફતીયાપરા, ભારત મીલ પાછળ સીંધીપરા, ચુનારાવાડ, ભગવતીપરા, ગોધાવાળ તથા આંબેડકરનગર વિસ્તારની ઝુંપડપટ્ટી રેગ્યુલર કરવા નિયત રકમ મનપાએ વસુલ કરેલ છે છતા આજે દિવસ સુધી કોઇ કાર્યવાહી કરેલ ન હોય આ બાબતે ઘટતુ કરવા ઝુંપડપટ્ટી પરિષદના પ્રમુખ લાખાભાઇ પરમારે ભારપુર્વક જણાવ્યુ છે.(

(11:33 am IST)