બગસરામાં ઇદેમિલાદની આસ્થાભેર ઉજવણી
બગસરા તા.૧૨: બગસરામાં ઇસ્લામ ધર્મના લોકોને સાચી રાહ બતાવનાર પયગંબર મહંમદ સાહેબના જન્મદિન એટલે કે ઇદેમિલાદ પર્વની બગસરા મુસ્લિમ સમાજે ભાવભેરથી ઉજવણી કરી હતી. બપોરથી મુસ્લિમ બિરાદરો દ્વારા જામકા રોડ જુમ્મા મસ્જિદ જૂલૂસ નીકળ્યું હતું જે શહેરના મુખ્ય માર્ગો પર જેવા કે કુંકાવાવ નાકા, જીનપરા, વિજય ચોક, શિવાજી ચોક, આરબવાડ, નદીપરા વગેરે વિસ્તારોમાંથી જુલૂસો નીકળ્યા હતા. જુલુસ રૂટમાં સમાજની વિવિધ સંસ્થા તથા સેવાભાવી લોકો દ્વારા ઠંડા પીણા, શરબતના સ્ટોલ,આઇસ્ક્રીમ,દૂધ કોલ્ડ્રીંકસ રાખવામાં આવ્યા હતા અને મુસ્લિમ સમાજ દ્વારા નમાજનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બગસરા પોલીસ સ્ટેશનના પી.આઇ.મકવાણા, પી.એસ.આઇ. સરવૈયા તેમનો પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.