પારડીમાં તુલસી વિવાહ
શાપર વેરાવળઃ નજીક આવેલ પારડી ગામ ખાતે શ્રી રામજી મંદિરે તુલસી વિવાહ નું આયોજન કરાયું હતું શ્રી રામજી મંદિરથી ઠાકોરજીની જાન પ્રસ્થાન કરીને પારડી ના સરપંચ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા ના આંગણે પહોંચી હતી.જયા તેમના પરિવાર દ્વારા સામૈયા કરી તેમજ ભગવાન ઠાકોરજીની જાનનું સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો.તુલસી વિવાહમાં કન્યાદાન રાજેન્દ્રસિંહ જાડેજા દમ્પતી દ્વારા જ કરવામાં આવેલ હતું આ શુભ અવસરે સાંજે ભોજન નો લ્હાવો લય સૌ કોઈએ ધન્યતા અનુભવી હતી જેમાં આ ખાસ પ્રસંગમાં પારડી તથા આજુબાજુ ગામો ના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યા માં તુલસી વિવાહ માં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પારડી ગામના રામજી મંદિર ના પૂજારી શ્રી લલિત બાપુ નિમાવત તથા શ્રી કૃષ્ણસિંહ જાડેજા યજુવેન્દ્રસિંહ જાડેજા તેમજ રવિરાજસિંહ જાડેજા અને ગજેન્દ્રસિંહ જાડેજા વગેરેએ જહેમત ઉઠાવી હતી.તુલસી વિવાહ યોજાયો તે તસ્વીર.