સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

છકડો પલ્‍ટી જતાં ઇજાગ્રસ્‍ત થયેલા ભચાઉના પ્રૌઢનું મોત

ભુજ,તા.૧૨: ભચાઉના વિજપાસર ગામે પોતાના ખેતરેથી છકડામાં પરત આવી રહેલા પ્રૌઢનું છકડા ચાલકની બેદરકારીના કારણે મોત નીપજયું હતું.

આ અંગે કરસન નાગજી કોલીએ છકડા ચાલજ બાબુ પરમાર સામે ફરિયાદ લખાવી છે. ફરિયાદી કરસનના પ્રૌઢ વયના પિતા નાગજી કોલી ગત તા/૭/૧૧ના પોતાના ખેતરેથી ગામમાં દ્યેર આવવા માટે બાબુ પરમારના છકડામાં બેઠા હતા. પરંતુ બાબુએ બેદરકારી સાથે છકડો ચલાવતાં પલ્‍ટી ખાઈ ગયો હતો.

જેમાં નાગજી કોલી ઇજાગ્રસ્‍ત થતાં તેમને સારવાર માટે ભચાઉ, આદિપુર અને છેલ્લે રાજકોટ લઈ જવાયા હતા. જયાં રાજકોટમાં સારવાર દરમ્‍યાન તેમનું મોત નીપજયું હતું. આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:22 am IST)