સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

૩૫ વર્ષની મિડીયા ક્ષેત્રની ઝળહળતી કારર્કિદી બાદ જામનગરના પરેશ છાયા નિવૃત

જામનગર,તા.૧૨: સમયચક્રની સાથે જીવનમાં અનેક પરિવર્તન આવતા રહે છે, તેમાંનો મહત્‍વનો પડાવ શ્રી પરેશ છાયા નીજિંદગીમાં આવ્‍યો છે. તેઓ રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિ. (જામનગર) માંથી ૩૧ ઓક્‍ટોબરના રોજ નિવૃત થયા છે. સિનિયર મેનેજર ના પદ ઉપર સતક એક દાયકા સુધી સફળતા પૂર્વક ફરજ બજાવી છે. મિડીયા લાયઝન ક્ષેત્રે પત્રકાર મિત્રોમાં ચાહના પ્રાપ્ત કરી છે. મિડીયાના વિવિધ ક્ષેત્રમાં ૩૫ વર્ષ લાંબી સફળ કારકિર્દીની સિધ્‍ધિ હાંસલ કરી છે. જૂનાગઢના સાંધ્‍ય દૈનિક સૌરાષ્ટ્ર ભૂમિ, ગુજરાત સમાચાર (અમદાવાદ), ગુજરાત સરકારના માહિતી વિભાગ માં પણ તેઓ સફળતા પૂર્વક કામગીરી કરી હતી. તેમણે હમેંશા તમામ ફરજો સંપૂર્ણ નિષ્ઠા, પ્રમાણિકતા અને ઉચ્‍ચ ધ્‍યેય સાથે નિભાવી છે. અ‘મિડિયા સફર'માં અભિયાન સાપ્તાહિક, ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયા ની ગુજરાતી આવૃતિ માં કોલમીસ્‍ટ તરીકે પણ વિવિધ વિષયો ઉપર લેખો લખ્‍યા હતા. માહિતી વિભાગ માં પણ અમેરિકન પ્રમુખ, નેલ્‍સન મંડેલા, ભારતના વડાપ્રધાન સહિત ના મહાનુભાવોના કવરેજ સુપેરે પાર પાડ્‍યા હતા. તેમણે સફળતાના સાચા યશભાગી પત્રકાર મિત્રો ને ગણાવ્‍યા છે. તેઓ આગામી સમયમાં હવે તેમના આ વૈવિધ્‍યસભર અનુભવને નવા યુવાન પત્રકારો ને પ્રિન્‍ટ, ઈલેકટ્રોનિક અને સોશિયલ મિડીયા અંગે એક્‍સપર્ટ લેક્‍ચર દ્વારા તાલિમ આપી રૂણ ઉતારવા ઈચ્‍છે છે.

(10:20 am IST)