જુનાગઢમાં રાજગોર સમાજના મોભી મુળશંકરભાઇ તેરૈયા પુણ્યતિથી ઉજવાશે
પ્રાર્થનાસભા ભોજનપ્રસાદ સહિતના આયોજન આજ એક વર્ષ પણ મુળુદાદાની સ્મૃતિ અટલ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૨ : જુનાગઢ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાન નિવૃત નાયબ મામલતદાર મુળશંકરભાઇ ભાણજીભાઇ તેરૈયાની તા.૧રને મંગળવારના પ્રથમ વાર્ષિક પુણ્યતિથી હોય જેની ઉજવણી કરવામાં આવનાર છે.
રાજગોર સમાજના ભિષ્મપિતામહ અને મોભી એવા મુળ શંકરભાઇ તેરૈયાનું આજથી એક વર્ષ પહેલા કોરોનાના કારણે અવસાન થતા રાજગોર સમાજમાં કયારેય ન બુરી શકાય તેવી ખોટ પડી છે.તેમણે રાજગોર સમાજના ઉત્કર્ષ માટે દિવસ રાત જોયા વગર સેવા આપી છે જેને આજે પણ સમાજ યાદ કરે છે.તેમની વિદાયને એક વર્ષ પુરૂ થઇ રહયુ છે. ત્યારે આજે પણ તેમની યાદી અટલ છે આવતીકાલે તેમની પ્રથમ પુણ્યતિથી નિમીતે શ્રધ્ધાંજલી આપવા સનાતન ધર્મશાળા ભવનાથ તળેટી ખાતે પ્રાર્થનાસભા યોજાશે. જેમાં સત્સંગી પરિવારો ઉપસ્થિત રહેશે અને ભાવાંજલી આપશે. બાદમાં સૌ આમંત્રિતો ભોજન પ્રસાદ લેશે. તેમ ચંદ્રકાંતભાઇ તેરૈયાએ જણાવ્યું હતું.