વાંકાનેરનાં શ્રી માટેલ ધરામાં રાસ ગરબાની રમઝટ
વાંકાનેરઃ વાંકાનેર તાલુકાના જગ વિખ્યાત એવા માટેલધરા ખાતે આવેલ 'આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર' માટેલધરાની પાવન પવિત્ર ભૂમિમાં કે જયાં ધજા ફરકે છે સત ધર્મની એવા માટેલ રૂડા ધામમાં અત્યારે આસોના રૂડાના નોરતામાં નાની નાની બાળાઓ માતાજીની આરાધના કરી માતાજીના ગરબા ગાઈને રાસ ગરબાની રંગત જમાવે છે, સાતેય બેનડીયું અને ભાણેજીયા સાથેના વેષ ધારણ કરી આઇશ્રી ખોડિયાર માતાજીના ગરબાની રંગત જમાવી હતી, 'સાતેય બેનડીયુંના વેષ ધારણથી ભાવિકોમાં આકર્ષક દર્શન જોવા મળ્યા હતા દરરોજ રાત્રે માતાજીના દરબારમાં પ્રાચીન પરંપરા મુજબ રાસ ગરબાની રંગત જામે છે રવિવારના માતાજી ના શણગાર દર્શન, સાતેય બેનડીયુંના વેષ સાથે ગરબા લેતી નાની નાની બાળાઓ, રાસ ગરબાની રંગત જામેલ તેમજ આઇશ્રી ખોડિયાર માતાજીનો વેષ ધારણ કરેલ જે તસ્વીર(તસ્વીર,અહેવાલ :હિતેશ રાચ્છઃ વાંકાનેર)