સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th October 2018

મીઠાપુર પી.આઇ. દ્વારા ટાટા કંપનીના પરપ્રાંતિયો સાથે મીટીંગ

 મીઠાપુર : હાલમાં ગુજરાતભરના પરપ્રાંતિયો પર હુમલાઓના બનાવના પગલે ઓખામંડળ તાલુકામાં કોઇ જ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુથી અને કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે મીઠાપુરના ઝાંબાઝ મહિલા પી.આઇ. ચન્દ્રકાલાબા જાડેજા દ્વારા મામલતદારને સાથે રાખી સ્થાનિક ટાટા કંપનીમાં કામ કરતા પરપ્રાંતિય લોકો સાથે એક મીટીંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં જાડેજા દ્વારા આ લોકોને કોઇ જ જાતનો ડર ના રાખવા અને કોઇ જ સમસ્યા જણાય તો તાતકાલીક પોતાનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત આ લોકોની કોઇ જ માંગણીઓ હોય તો તે પણ રજૂકરવા જણાવ્યું હતું. (તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટણીયા-મીઠાપુર) (૮.૬)

 

(1:39 pm IST)