સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th October 2018

ભાવનગરમાં નવરાત્રી વેકેશનમાં ચાલુ રહેલી શાળાઓ બંધ રખાઇ

ભાવનગર તા.૧૨: નવરાત્રીના વેકેશનમાં નહિ જોડાયેલ ભાવનગરની શાળાઓ માં આજે સવારે સરકારના આદેશથી રજા અપાઇ હતી.

રાજય સરકારે નવરાત્રી દરમિયાન શાળાઓમાં રજા જાહેર કરી હતી. પરંતુ ભાવનગરની અનેક શાળાઓએ આ રજા જાહેર નહી કરી સ્કૂલો ચાલુ રાખી છે ત્યારે આજે શુક્રવારે સવારે શહેરની કેપીઇએસ ઈગ્લીશ સ્કૂલ સહિતની અનેક શાળાઓમાં સરકારનાં આદેશથી રજા પાળવામાં આવી હતી. સરકારના આદેશથી ચાલુ સ્કૂલે રજા આપવામાં આવતાં સ્કૂલવેન ચાલકોમાં દોડધામ મચી ગઇ હતી જયારે વાલીઓ ઉપર શાળા માંથી ફોન રણકયા હતા કે તમારા બાળકોને લઇ જાવ.

નવરાત્રીમાં ફરજીયાત રજા રાખવામાં સરકારનાં ધરાર આદેશથી કેટલીક શાળાનાં સંચાલકો અને વાલીઓમાં પણ નારાજગી ફેલાઇ છે.(૧.૧૨)

 

(12:13 pm IST)