સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th October 2018

સુરેન્દ્રનગરમાં જર્જરીત પોલીસ હુડકો કવાટર તોડી પાડવા- રીપેર કરવા માંગ

સુરેન્દ્રનગર તો.૧રઃ  અહિંની રાધે ટેનામેન્ટ સોસાયટીના પ્રમુખ કિશોરસિંહ પરમાર સહિતના રહીશોએ જિલ્લા કલેકટરને એક પત્ર પાઠવી સુરેન્દ્રનગરમાં નર્મદા કવાર્ટરની બાજુમાં આવેલ પોલીસ હુડકો  તરીકે ઓળખાતા જર્જરીત મકાનો તોડી પાડવા અથવા રીપેર કરવા માંગણી કરી છે.

આ સોસાયટીના ર૦ જેટલા રહીશોએ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણમાં ફરિયાદ કરવા ઉપરાંત જિલ્લા કલેકટર સમક્ષ પણ રજુઆત કરતા જણાવ્યું છે કે જર્જરીત મકાનોની છત પરથી અવાર નવાર કાટમાળ પડે છે કયારેક ત્યાંના બાળકોને અથવા કોઇ રાહદારી પર  પડે તો ઇજા થવાનો કે અકસ્માત થવાનો સતત ભય રહે છે.

ભવિષ્યમાં આવા જર્જરીત મકાનો ને લઇને કોઇ જાનહાની થાય કે કોઇ નુકશાન થાય તે પહેલા આવા મકાનો પાડી નાખવા અથવા તો રીપેર કરવાની માંગણી કરવામાં આવી છે. આ માટે સોસાયટીના રહીશોએ  કલેકટર સમક્ષ લેખીત રજુઆત કરેલ છે.  (૧૧.૬)

(12:05 pm IST)