સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th October 2018

જસદણ રાણીંગપરાના કુરજીભાઇ સાંગાણીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૨: જસદણના રાણીંગપર ગામે રહેતાં કુરજીભાઇ મોતીભાઇ સોમાણી (ઉ.૫૦) નામના પ્રોૈઢને જુની ઇજા હોઇ ઘરે ખાનગી ડોકટરને બોલાવી સારવાર કરાવી હતી. બાદમાં ગઇકાલે બપોરે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે કાગળો કરી જસદણ પોલીસને જાણ કરી હતી.

(12:03 pm IST)