News of Thursday, 12th September 2019
હળવદના રાણેકપરની પરણિતાનો ગળેફાંસો ખાઈ આપઘાત કેસમાં સાસરિયાઓ સામે ગુન્હો નોંધાયો
હળવદના રાણેકપરની પરણિતાનો ગળેફાંસો ખાઈ આપઘાત કેસમાં સાસરિયાઓ સામે ગુન્હો નોંધાયોછે
હળવદના ભલગામડાના રહેવાસી નરશીભાઈ અમરશીભાઈ ઉધરેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની દીકરી કાજલબેન (ઉ.વ.૨૨) વાળાને આરોપી રાજુભાઈ અમરશીભાઈ સીપરા, સમુબેન રાજુભાઈ સીપરા અને દશરથભાઈ રાજુભાઈ સીપરા (રહે બધા રાણેકપર તા. હળવદ વાળા )એ ઘરકામ મામલે મ્હેણાં ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ ગુજરી અસહ્ય ત્રાસ આપી મરી જવા મજબુર કરતા તેની દીકરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ મરવા માટે મજબુર કરવા અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે
(12:47 am IST)