સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

ટંકારાના સાવડીમાં વૃધ્ધા કવિબેન બિમારીથી ત્રાસી એસિડ પી ગયા

મોટા ખીજડીયામાં નરેન્દ્રસિંહ ઝાલાએ પણ વખ ઘોળ્યું

રાજકોટ તા. ૧૨: ટંકારાના સાવડી ગામે રહેતાં કવિબેન મોહનભાઇ વાઘેલા (ઉ.૭૦) નામના વાલ્મિકી વૃધ્ધાએ રાત્રે નવેક વાગ્યે ઘરે એસિડ પી લેતાં ટંકારા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

કવિબેનને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પતિ નિવૃત જીવન જીવે છે. કવિબેનને લાંબા સમયથી ટીબીની બિમારી હોઇ તેનાથી કંટાળીને પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

બીજા બનાવમાં ટંકારાના મોટા ખીજડીયામાં રહેતાં નરેન્દ્રસિંહ અનોપસિંહ ઝાલા (ઉ.૪૦)ને માનસિક બિમારી હોઇ કંટાળીને ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તેઓ છ ભાઇ અને ત્રણ બહેનમાં નાના તથા અપરિણીત છે. બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને યુવરાજસિંહે ટંકારા પોલીસને જાણ કરી હતી.

(12:07 pm IST)