સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

ભાવનગરમાં જીતુભાઈ વાઘાણીના જન્મ દિને કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારવા વિરાટ રેલી

ભાવનગર તા.૧૨:ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્યિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી ના જન્મ દિવસ નિમિત્ત્।ે ભાવનગર નાગરિક સમિતિ દ્વારા તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરમાં કલમ ૩૭૦ અને ૩૫હ્ય્ રદ્દ કરવાના નિર્ણયને આવકારવા રેલી યોજવામાં આવી હતી. શહેરના એ.વી.સ્કુલ ગ્રાઉન્ડ ખાતેથી નીકળેલી રેલીમાં જીતુભાઈ વાઘાણી, વિભાવરીબેન દવે,ભાવનગર રાજવી વિજયરાજસિંહ ગોહિલ,મેયર મનહરભાઈ મોરી,ભાજપના આગેવાનો,જાણીતા ઉદ્યોગપતિ કોમલકાંત શર્મા સહિતના અગ્રણીઓ,સંતો,નગરજનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી,લીકોએ જીતુભાઈ વાઘાણી ને શુભેચ્છાઓ પાઠવી હતી.

(12:04 pm IST)