સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

દામનગરમાં બજરંગદાસબાપુના બાજુમાં તાજીયા બનાવ્યાઃ હિન્દુ સંગઠનોએ ચાદર ચઢાવી

દામનગર શહેર માં યા હુસેનના નાદ સાથે કલાત્મક તાજીયા ઝુલુસ શહેર ભરના મુખ્ય માર્ગો પર ફર્યા હતા. ચોંકારો લેતું ઝુલુસ શહેર ભરના મુખ્ય માર્ગો પર ફર્યું ભારેકલાત્મક તાજીયાના માર્ગ પર ઠેર ઠેર પાણીના બેડા લઈ શહાદતોના માર્ગ ટાઢા કરતી બહેનો દ્વારા સીતારામનગર મઢુલી ખાતે તાજીયા બજરંગદાસની બાજુમાં બિરાજયા કોમી એકતા નું અદભુત દર્શન હિન્દૂ સંગઠનો દ્વારા ચાદર ચડાવતા કુંભનાથ મહાદેવ સેવક સમુદાયના અગ્રણીઓ ચોંકારો જોવા રોડ રસ્તાઓની બંને બાજુ કતારો લાગી ભારે ભીડ સાથે યા હુસેન યા હુસેનના ગગન ભેદીનાદ સાથે ચોંકારો લેતા યુવાનો તાજીયા ના દીદાર માટે ઠેર ઠેર દર્શનાર્થીઓ પુરા શ્રદ્ઘાભાવ સાથે કરબલા ના શહાદતોને વંદન કરતા દ્રશ્યો પાંચ કલાત્મક તાજીયા અભિભૂત કરતી વ્યવસ્થા સાથે ઝુલુસ વરસતા વરસાદે નીકળી તાજીયાની તસ્વીર.

(11:35 am IST)