સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

દ્વારકામાં દંડી સ્વામી સદાનંદજીના ચાર્તુમાસ વ્રત પુર્ણ : સંત સંમેલન યોજાયુ

દ્વારકા તા.૧૧ : છેલ્લા બે માસથી સનાતન ધર્મના પ્રચારક સંસ્થા શારદાપીઠમાં ચાર્તુમાસ વ્રત કરી રહેલ દંડી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના વ્રત સમાપનમાં ગુજરાત સૌરાષ્ટ્ર અને અન્ય પ્રદેશોના સાધુ સંતોનું સંમેલન યોજાયુ હતુ.

બસ્સો જેટલા સાધુ સંતોની ઉપસ્થિતિમાં દંડી સ્વામીજીનું સ્મૃતિવંદના સાથે ભાવભર્યુ સન્માન કરાયુ હતુ અને સંતગંગાની એકતા, સમાજ ભાવનાની ચર્ચા થઇ હતી. ચાર્તુમાસ દરમિયાન શારદાપીઠમાં સદાનંદજીની નિશ્રામાં ભાગવત સપ્તાહ, ગુરૂપુર્ણિમા ઉત્સવ, જગતગુરૂ શ્રી સારૂતાનંદજીની જન્મતિથિ તથા દ્વારકાધીશજી શિખર પર ધ્વજા આરોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

(11:28 am IST)