સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

ભાવનગરના નિલમબાગ પાસેની રાજ ખોડીયાર રેસ્ટોરન્ટમાં આગ: ફ્રિજ,એસી સહિતનો સમાન બળીને ખાખ

 

ભાવનગર શહેરના નિલમબાગથી દેરી રોડ પર જવાના રસ્તા પર રાજ ખોડીયાર રેસ્ટોરન્ટ પર અચાનક આગ લાગી જતાં સત્યજીતસિંહએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગડે તાત્કાલિક કાફલો ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી.

   આગ રાજ ખોડિયાર રેસ્ટોરન્ટના રસોટમાં લાગી હતી. જયાં તેનો રસોઈ બનાવવાનો સમાન, ફ્રીઝ, એસી વિગેરે બળીને ખાખ થઈ ગયું હતું. ફાયર બ્રિગેડની એક ગાડીનો છંટકાવ કરવી આગને કાબુમાં લીધી હતી

(12:55 am IST)