સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th August 2020

પોરબંદર શ્રી હરિમંદિરે પૂ. રમેશભાઇ ઓઝા દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે શાસ્ત્રોકત વિધી સાથે શ્રી કૃષ્ણ ભગવાન સહિત દેવોનું પૂજન

જુનાગઢ : આજે જન્માષ્ટમી પર્વે પોરબંદર સ્થિત શ્રી હરિમંદિર ખાતે પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના શ્રાવણ માસના અનુષ્ઠાન ચાલી રહ્યા છે. દરમ્યાન આજે સવારે પુ. ભાઇશ્રી દ્વારા ભગવાનશ્રી કૃષ્ણનું મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોકત વિધી થી સિલક પુજન વિધિ કરવામાં આવી હતી અને મંદિરમાં બિરાજમાન અન્ય દેવી-દેવતાઓનું પૂજન કરાયું હતું અને કોરોનાની આ મહામારીમાંથી સમગ્ર વિશ્વ વહેલી તકે મુકત થાય તેવી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરી હતી. (અહેવાલ : વિનુ જોશી તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:11 pm IST)