News of Sunday, 12th July 2020
હવેથી જામનગરમાં ખાનગી તબીબો દ્વારા કોરોનાની સારવાર કરવા વ્યવસ્થા
કોવિડ કેર સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ (ICU) શરૂ કરાશે :-IMA જામનગર એકમની બેઠકમાં નિર્ણંય :
જામનગરમાં હવેથી કોરોના અંગે ખાનગી તબીબો પણ સારવાર માટે વ્યવસ્થા કરી રહ્યા છે. અત્યારે જ IMA જામનગર એકમની મળેલી બેઠકમાં જામનગરમાં કોવિડ કેર સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ (ICU) શરૂ કરવા નિર્ણય લીધો છે. ટુક સમયમાં જામનગરમાં પ્રાઈવેટ કોવિડ સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ ઉપરાંત હાલ હોમ આઇસોલેશન સુવિધા હાલ ચાલુ કરી દેવાઈ છે. IMA જામનગર એકમની બેઠકમાં જામનગર એકમના પ્રેસિડેન્ટ ડો. મહેશ દુધગરા, સેક્રેટરી ડો. નિકુંજ ચોવટિયા અને ડૉ. વિજય પોપટ સહિતના અગ્રણી તબીબો જોડાયા હતા. (તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)
(11:05 pm IST)