મોરબીમાં ૬૧ હજાર મતાની ચોરી
વિજયનગરમાં પટેલ પરિવાર છત પર સૂતા'તાને તસ્કરો ઘર સાફ કરી ગયા
મોરબી, તા.૧૨: મોરબી કન્યાછાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં અગાશી પર મીઠી નીંદર માણી રહેલ પટેલ પરિવારના ઘરમાંથી તસ્કરો ૬૧ હજારથી વધુ માલમતા ચોરી કરી ગયા હતા.
મોરબીના કન્યાછાત્રાલય રોડ પર આવેલ વિજયનગરમાં રહેતા ભરતભાઈ ઓધવજીભાઈ લાલપરા ગત તા.૧૧ના રાત્રીના પોતાના મકાનમાં છત પર મીઠી નીંદર માણી રહેલ હોય દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ મકાનમાં દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી રોકડ રકમ રૂ.૬૦૦૦, સોનાની ચેન અઢી તોલાની કીમત રૂ.૫૦૦૦૦, એક વિવો-૯ કંપનીનો મોબાઈલ કીમત રૂ.૫૦૦૦ તથા એક કાંડા ઘડીયાળ કીમત રૂ.૫૦૦ એક કુલ મુદામાલ ૬૧૫૦૦ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ ભરતભાઈએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધવી છે.મોરબી એ ડીવીઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. સી.એચ.શુકલ ચલાવી રહ્યા છે.