સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

વાદળા છવાય છે વરસતા નથીઃ ખેડૂતોમાં ભારે ચિંતા

ધુપ-છાંવના માહોલ સાથે અસહ્ય ઉકળાટઃ મેઘરાજા મહેર કરે તેવી આશા

રાજકોટ તા.૧ર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધુપ-છાંવના માહોલ સાથે અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે અને મેઘરાજા મહેર કરે તેવી આશા લોકો રાખી રહ્યા છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા છવાય છે પરંતુ વરસતા નથી જેનાથી ખેડૂતોમા ભારે ચિંતા પ્રસરી ગઇ છે.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૩પ.પ મહત્તમ ર૮.પ લઘુતમ ૭૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૭.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.(૬.૨૦)

 

 

(1:14 pm IST)