સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

ભડકાઉ ભાષણ મામલે વિશ્વ હિન્દુ પરિષદ કચ્છના પ્રમુખને તડીપાર કરવાની દરખાસ્ત રદ્દ

ભૂજ, તા. ૧૨ :.  હદપારીની દરખાસ્તનો સામનો કરી રહેલા વિશ્વ હિન્દુ પરિષદ કચ્છના પ્રમુખ રદ્યુવીરસિંહ જાડેજાને રાહત મળી છે.

પશ્ચિમ કચ્છ ડીવાયએસપી દ્વારા ગત તા/૨૯/૩/૧૯ ના ભડકાઉ ભાષણ સહિતના વિવિધ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને હાલે માંડવી રહેતા રદ્યુવીરસિંહ બહાદુરસિંહ જાડેજાને ૬ જિલ્લા માંથી ૨ વર્ષ માટે તડીપાર કરવાની દરખાસ્ત મુન્દ્રા પ્રાંત અધિકારી સમક્ષ કરાઈ હતી. જે અંગે ગત તા/૧૬/૫ ના સુનાવણી દરમ્યાન રદ્યુવીરસિંહ જાડેજા દ્વારા જવાબ રજૂ કરાયો હતો. જે અંગે આ તડીપાર કરવાનો હુકમ રદ્દ કરતા પ્રાંત અધિકારી ડો. વસ્તાણીએ જણાવ્યું હતું કે, રદ્યુવીરસિંહ વિરુદ્ઘ બે ગુના નોંધાયેલા છે, બે પેન્ડિગ ટ્રાયલ ઉપર છે. જે ધ્યાને લેતાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૫૬ (ક) હેઠળ તડીપાર કરી શકાય તેવા કોઈ કારણ નથી. ગત ૧૨/૫ ના ભુજ મધ્યે વીએચપી દ્વારા જંગી રેલી યોજીને તડીપારની દરખાસ્તનો ઉગ્ર વિરોધ કરાયો હતો.

(11:35 am IST)