સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

વિદ્યાર્થીઓને અપાતી વ્યવસ્થાપન અંગે તાલીમ અપાઇ

વડીયા : વડિયા  શ્રી શારદા એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિનાયક વિદ્યા મંદિર ના વિદ્યાર્થીઓ માટે તા. ૦૯/૦૭/૨૦૧૯ ના રોજઙ્ગ ડિઝાસ્ટર મેનેજમેંટ અમરેલી તથા નગરપાલિકા અમરેલી અને ૧૦૮ ઈમરજન્સી સેવાની ટિમ દ્વારા કુદરતી આપતી જેવી કે પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ, અકસ્માત ,વગેરેની પરિસ્થિતિના સાવચેતીના ભાગ રૂપે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે ફાયર ડેમોસ્ટ્રેશન અને અવેરનેસ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ડીઝાસ્ટર મેનેજમેંટ અમરેલી ના અધિકારી શ્રી માનશી મેડમ, વડિયાનાં મામલતદાર શ્રી ડાંગર સાહેબ ની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.ઙ્ગ ઙ્ગએ બદલ શાળાના આચાર્યશ્રી માધુરીબા ઇન્દ્રરાજસિંહ સિંધવએઙ્ગ તમામ સ્ટાફઙ્ગ નો ખૂબ આભાર વ્યકત કરેલ છે.તે પ્રસંગની તસ્વીર.

(11:34 am IST)