સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

જેતપુરના ડીવાયએસપી દેસાઈની બદલીઃ જે.એમ. ભરવાડ મુકાયા

દેસાઈને બોટાદ મુકાયાઃ જે.એમ. ભરવાડે અગાઉ જેતપુરમાં પીઆઈ તરીકે ફરજ બજાવી'તી

રાજકોટ, તા. ૧૨ :. રાજ્યના ગૃહખાતા દ્વારા બે ડીવાયએસપીની બદલીના હુકમો કરાયા છે. જેમાં જેતપુર ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા ઝેડ.આર. દેસાઈને બોટાદ એસ.સી.-એસ.ટી. સેલમાં મુકવામાં આવેલ છે.

જ્યારે જેતપુર ડીવાયએસપી તરીકે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.માં ફરજ બજાવતા જે.એમ. ભરવાડને નિયુકિત અપાઈ છે. ડીવાયએસપી જે.એમ. ભરવાડ અગાઉ જેતપુરમાં પીઆઈ તરીકે પ્રસંશનીય ફરજ બજાવી હતી.(૨-૨૮)

(4:36 pm IST)