સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

મોરબી ક્ષય નિવારણ કેન્દ્રમાં કર્મચારીને બે રોજમદારોએ ધોકાથી માર માર્યો

મારી સુચનાને કેમ ફોલો કરતા નથી ? તેમ કહેતા બન્ને રોજમદાર તુટી પડયા

મોરબી તા ૧૨ : 'મોરબી કાયમી કર્મચારીને બે રોજમદાર કર્મચારીઓએ ધોકો મારી દીધો'

મોરબીના સામાકાંઠે આવેલ ક્ષય નિવારણ કેન્દ્રના કર્મચારીઓ વચ્ચે માથાકુટ થતા કાયમી કર્મચારીને બે રોજમદાર કર્મચારી એ ધોકો મારીઇજાઓ કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ ક્ષય નિવારણ કેન્દ્રમાં કામ કરતા કાયમી કર્મચારી અને ફરિયાદી લાલચંદ ટી. સાઇલાણીએ પોતાની નીચે કામ કરતા રોજમદાર કર્મચારીઓ પિયુષ જોશી અને અંકિત પરમારને પોતાની સુચનાને કેમ અનુસરતા નથી, કેમ કહેવું કરતા નથી તેમ કહેતા માથાકુંટ થતા ઉશ્કેરાયેલા બન્ને રોજમદાર કર્મચારીઓએ કાયમી કર્મચારી લાલચંદભાઇને ધોકો મારી ઇજાઓ કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે

(12:54 pm IST)