સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

સુરેન્દ્રનગરમાં ઉપવાસ આંદોલન...હૂમલો કરનારાને પકડી પાડવા માંગ

વઢવાણઃ તાલુકાના જોરાવરનગરમાં ખારા કૂવા વિસ્તારમાં ૧૧ દિવસ પહેલા બાવળ કાપવા-ગંદકી મુદ્દે થયેલી માથાકુટમાં દલિત યુવાન અને તેની ભત્રીજી ઉપર હુમલા પ્રકરણે સુરેશભાઇ,કરશનભાઇ સહિતના ભરવાડ શખ્સો પૈકી એક જ શખ્સની ધરપકડ કરી છે ત્યારે રતનબેન નાગરભાઇ મકવાણા સહિત ૨૪ ભાઇઓ-બહેનો જિલ્લા કલેકટર કચેરી સામે ત્રણ દિવસથી અચોક્કસ મુદતના પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે. આ અંગે રતનબેનના જણાવ્યાનુસાર જેને સમયે રજૂઆત વેળા એસ.પી.દ્વારા યોગ્ય કરવાની ખાત્રી મળ્યા બાદ પણ અન્ય શખ્સોને પકડાતા કેમ નથી?... જયાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારાઇ છે. (તસ્વીરઃ અહેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(12:53 pm IST)