સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

ચોટીલાના ડુંગર તળેટીમાં આંચકા

વઢવાણ તા. ૧૨ :  ચોટીલાના અનેક વિસ્તારમાં સાંજના સમયે હળવા આંચકા ભૂકંપના આવ્યા હોવાનું અને લોકોમાં ઉચાટ અને ચર્ચાઓ વચ્ચે ભયનો સામાન્ય માહોલ મળ્યો હતો.

ચોટીલા ગામ વિસ્તારના લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો નથી પરંતુ ચોટીલા ડુંગરની તળેટી અને નીચેના વિસ્તારમાં આંચકાનો અનુભવ થયો હોવાનું જાણવા મળેલ છે.

ભુકંપના આંચકાની વાત વાયુવેગે ગામમાંપણ ફેલાયેલ હતી. સામાન્ય ભૂકંપના આંચકા આવ્યા હોવાની વાતને લોકો સમર્થન આપી રહ્યા છે.

(11:50 am IST)