કોંગ્રેસમાં સીધા સંવાદ યોજનાને આવકારતા ગીર સોમનાથ જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ
વેરાવળ, તા.૧૧: ગીર સોમનાથ જીલ્લા મહીલા કોગ્રેસ પ્રમુખ ઉષાબેન કુસકીયાએ તાજેતરમાં યુવા અઘ્યક્ષ રાહુલ ગાંધી દ્રારા કોગ્રેસનો દરેક કાર્યકર્તાએ પોતાની રજુઆત સીધી હાઈકમાન્ડ સાથે કરી શકે તેમજ સીધોસંવાદ કરી શકે તે માટે આ યોજના દાખલ કરેલ છે જે કોગ્રેસના કાર્યકર્તા માટે આર્શિવાદ સમાન છે એમ જણાવી આ પ્રોજેકટ સંપુર્ણપણે અસરકારક બની રહે તેવો આશાવાદ વ્યકત કરતા વધુમાં જણાવેલ કે આ પ્રોજેકટ થી કાર્યકતાની રજુઆત સધી એઆઈસીસીના કંટ્રોલ રૂમ દીલ્લી સુધી પહોચી શકેશે જેથી નાના માં નાના પાયાના કાર્યકર્તાઓનો આવાજ પક્ષના નેતૃત્વ સુધી પહોચાડવાના કારણે બુથનો કાર્યકર પ્રદેશ તેમજ હાઈકમાન્ડ સ્તર સુધી આ શકિત પ્રોજેકટ માઘ્યમથી પહોચી શકશે અને કાર્યકર્તાએ કરેલ રજુઆત કે ફરીયાદની નોધ સીધી પહોચાડી શકાશે જેના કારણે સંગઠન ક્ષેત્રે તેમજ ઉમેદવારોની પસંદગી ક્ષેત્રે રહી જતી ખામીનો દુર થશે તેમ મહીલા કોગ્રેસ પ્રમુખ ઉષાબેન કુસકીયાએ જણાવેલ હતું.