સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

ગોંડલમાં વર્કશોપ સેમિનાર યોજાયો

ગોંડલ ફોટોગ્રાફ્સ તથા વિડીયોગ્રાફી એસોસીએશન દ્વારા નિકોન વર્કશોપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું દીપ પ્રાગટ્ય ભુવનેશ્વરી મંદિર ના અધ્યક્ષ ઘનશ્યામજી મહારાજના હસ્તે કરાયું હતું, કાર્યક્રમમાં નિકોન કંપનીના ગુજરાતના અધિકારી રાકેશભાઈ, ડીલર શશીભાઈ તેમજ અન્ય ટ્યુટર દ્વારા આધુનિક સમયના ડિજિટલ સાધનોના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી, આ તકે લલીતભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ, દર્પણભાઈ દવે તેમજ ચેતનભાઇ ભોજાણી સદસ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આમંત્રિત મહેમાનો ને સ્મૃતિ ભેટ અર્પણ કરાયા હતા. તે પ્રસંગની તસ્વીર

(11:46 am IST)