સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

ભુજના મોટાબંધ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં દશનામ ગોસ્વામી સમાજના પૂર્વ પ્રમુખ ઝવેરગીરીનું કરૂણમોત

-65 વર્ષીય ઝવેરગીરી બાઈક પાર ઘરે જતા હતા ત્યારે ભુજ માંડવી ભુજ રૂટની એસટી બસ સાથે સર્જાયો અકસ્માત :ઘેરો શોક

 

ભુજના મોટાબંધ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં દશનામ ગોસ્વામી સમાજના પૂર્વ પ્રમુખ અને સમાજના આગેવાન ઝવેરગીરી શ્યામગીરી ગોસ્વામીનું કરૃણમોત  થયું છે આજે નવ વાગ્યે 65 વર્ષીય  ઝવેરગીરી ઘરે પરત ફરી રહયા હતા ત્યારે ભુજ અંન્દવી ભુજ રૂટની એસટી બસ સાથે અકસ્માત થયો હતો તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા તેઓનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું

   અકસ્માતની જાણ થતા સમાજના આગેવાનો દોડી ગયા હતા સમાજના આગેવાનના મૃત્યુથી દશનામ ગોસ્વામી સમાજમાં ઘેર શોકની લાગણી છવાઈ છે

(12:07 am IST)