સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લેતા યુવક સારવારમાં
વઢવાણ તા. ૧ર : સુરેન્દ્રનગર ખાતે કાલા કપાસની દલાલી કરતો યુવાન અમદાવાદ અને સુરેન્દ્રનગરના શખ્સો પાસેથી ૩ ટકાના દરથી રૂ. ૬પ લાખ લીધેલ હતા. ત્યારે વ્યાજ ખોરો દ્વારા નાણાની ઉઘરાણી કરતા સુરેન્દ્રનગરના કાલા કપાસના દલાલે ટિકડાઓ ખાઇ લઇ અને મરવા માટે મજબુર બન્યો પરંતુ સમયસર સારવાર મળતા બચી ગયો હતો.
સુરેન્દ્રનગરના રાજગૃહી ટાવરના ફલેટમાં ૩૦૩ નંબરના મકાનમાં કંકુલભાઇ કનૈયાલાલ બારભાયા કાલાકપાસની દલાલી કરે છે જેમને દલાલીના ધંધામાં ઘાટો પડતા કંકુલભાઇએ અમદાવાદના સમીર એચ. શરદ શાહ, પાળીયાદના કેતન પ્રજાપતી જોરાવરનગરના વિજયભાઇ સુરેન્દ્રનગરના કાંતીભાઇ સહિતના જુદા જુદા લોકો પાસેથી રૂ.૬પ લાખ ત્રણ ટકાના દરથી લીધેલ પરંતુ વ્યાજ ખોરો રકમની ઉઘરાણી કરતા રકમ ન હોવાના કારણે આપઘાતની કોષીશ કરતા ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.