News of Wednesday, 12th June 2019
કેશોદના યુવાનનું એટીએમ પાસવર્ડ મેળવી રૂ. ૫૯૫૦૦ ટ્રાન્સફર કરી લેવાયા
જૂનાગઢ, તા. ૧૨ :. કેશોદના યુવાનનું એટીએમ કાર્ડ મેળવી અજાણ્યા શખ્સોએ રૂ. ૫૯૫૦૦ ટ્રાન્સફર કરી લેતા ચકચાર વ્યાપી ગઈ છે.
કેશોદની પ્રજાપતિ સોસાયટીમાં રહેતો અજય મનસુખભાઈ ભરડવા એસબીઆઈ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલ.
આ સમયે અજાણ્યા ચાર શખ્સોએ અજયને મૂર્ખ બનાવી એટીએમ કાર્ડનો પાસવર્ડ અને ડેટા મેળવીને રાત્રીના ૧૯૫૦૦ ઉપાડી અને રૂ. ૪૦ હજાર ટ્રાન્સફર કરી કુલ રૂ. ૫૯૫૦૦ની છેતરપીંડી આચરી હતી. આ અંગેની ફરીયાદના આધારે પીઆઈ ડી.જે. ઝાલાએ તપાસ હાથ ધરી છે.
(12:01 pm IST)