News of Tuesday, 12th June 2018
પવનના સૂસવાટા સાથે વાદળછાંયુ હવામાન
બફારો યથાવતઃ મહત્તમ તાપમાન નીચુ ઉતરતા ગરમીમાં ઘટાડો
રાજકોટ, તા.૧૨: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને પવનના સૂસવાટા સાથે અસહય બફારાનો અનુભવ થઇ રહ્યો છે.
મહત્તમ તાપમાનનો પારો પણ ધીમે ધીમે ૪૦ ડિગ્રીની નજીક જ રહે છે જેના કારણે લોકોને અસહય તાપથી રાહત મળી છે. ધોમધખતા તાપથી લોકોને રાહત મળી છે અને છેલ્લા થોડા દિવસોથી મહતમ તાપમાનનો પારો ૪પ ડિગ્રીને પાર થઇ જતા આકરા ઉનાળાનો મિજાજ લોકોને જોવા મળ્યો હતો. (૨૩.૬)
(11:02 am IST)