સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 8 લોકોના મોત : નવા 484 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 279 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 277 કેસ ,જૂનાગઢ તાલુકામાં 31 કેસ, કેશોદમાં 43 કેસ,વિસાવદરમાં 38 કેસ,માંગરોળમાં 37 કેસ,માળીયામાં 33 કેસ,માણાવદરમાં 27 કેસ,મેંદરડામાં 17 કેસ, વંથલીમાં 16 કેસ,ભેસાણમાં 15 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે વધુ 8 દર્દીઓના મોત થયા છે આજે કોરોનાના નવા 484 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 279 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 484  પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 277 કેસ ,જૂનાગઢ તાલુકામાં 31 કેસ, કેશોદમાં 43 કેસ,વિસાવદરમાં 38 કેસ,માંગરોળમાં 37 કેસ,માળીયામાં 33 કેસ,માણાવદરમાં 27 કેસ,મેંદરડામાં 17 કેસ, વંથલીમાં 16 કેસ,ભેસાણમાં 15 કેસ નોંધાયા છે

(8:59 pm IST)