સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

જામનગરમાં રોજિંદા પોઝિટિવ કેસ સતત ઘટતા જઇ રહ્યા છે : મંગળવાર પણ મંગલ રહ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૨ : જામનગરમાં સ્વસ્થ દર્દીઓની સંખ્યામાં કાલે પણ વધારો થયો છે. ગઈકાલે ૬૦૮ દર્દી સ્વસ્થ થયા અને પોઝિટિવ કેસોની સંખ્યા ઘટીને ૫૧૬ નોંધાઇ છે.  મંગળવારે સતત બીજા દિવસે નવા પોઝિટિવ કેસ ઘટતા શહેરીજનોને રાહતનો અનુભવ થઈ રહ્યો છે. જો કે તેની સામે જિલ્લામાં ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે.

જામનગર શહેર- જિલ્લામાં આજે ઘણાં દિવસો પછી ૨૪ કલાકમાં પોઝિટિવ કેસ નો આંકડો સતત ત્રીજા દિવસે ૬૦૦ ની અંદર રહ્યો છે. કાલે મંગળવારે શહેરમાં ૩૦૮ અને ગ્રામ્યમાં ૨૦૮ મળી જિલ્લાનો કુલ આંકડો ૫૧૬ જાહેર થયો છે. શહેરમાં ૩૧૯ દર્દીઓ અને ગ્રામ્યમાં ૨૮૯ દર્દીઓ સ્વસ્થ થયાં છે. કાલે શહેરમાં ૫ મોત અને ગ્રામ્યમાં ૨ મોતની સતાવાર જાહેરાત કરવામાં આવી છે.

(12:58 pm IST)