સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

અમરેલી જીલ્લામાં કોરોનાના ૧૬ દર્દીના મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૨ : અમરેલી જિલ્લામાં કોરોનાના દર્દીઓની મૃત્યુની સંખ્યા એપ્રિલ મહિના કરતા નીચી આવી રહી છે. હાલમાં ૧૫ થી ૨૦ જેટલા મૃત્યુ પામી રહ્યા છે. જે એપ્રિલ મહિના કરતા ઓછા છે. ગઇ કાલે મંગળવારે અમરેલી જિલ્લામાં કોરોના ૧૬ દર્દીઓના મૃત્યુ થયા છે. જેમાં અમરેલીમાં સારવાર લઇ રહેલા ૧૩ તથા રાજુલામાં ૨, સાવરકુંડલામાં ૧ દર્દીના મૃત્યુ થયા છે.

જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર આરટીપીસીઆરમાં ૧૦૫  અને એન્ટીજન ટેસ્ટમાં ૭ મળી ૧૧૨ પોઝીટીવ કેસ નોંધાયા છે. હવે દર્દીની સંખ્યા વધી હોય હોસ્પિટલો ઉપર ભારણ વધી રહ્યું છે. રાહતની બાબત એ છે કે અત્યારે કોવિડ કેર સેન્ટર શરૂ થયા છે પણ દર્દીની સંખ્યા વધારે હોય ઓકિસજનનો પ્રશ્ન નજર સામે જ છે. તંત્ર આ વખતે પણ આગોતરી તૈયારી કરે તો મૃત્યુદર ઓછો રહેશે. નહીતર સ્થિતી હજુ ખરાબ થવાની શકયતા છે.

(12:55 pm IST)