સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

જપ-તપની ભૂમિ ભારતમાંથી કોરોના મહામારી જલ્દી વિદાય લેશે : પૂ.ઇન્દુભારતીબાપુ

કોરોના વેકિસન અભિયાનમાં જોડાવવા જૂનાગઢના મહંતની અપીલ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૧૨ : જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત શ્રી ઇન્દ્રભારતીબાપુએ વેકસીન કાર્યક્રમમાં લોકોને જોડાવવા અપીલ કરી હતી.

પુ.ઇન્દ્રભારતીબાપુએ જણાવ્યુ હતુ કે, બિમારી સામે લડવામાં મનથી મજબૂત રહો પરિણામ તમારી સામે હશે કોરોનાની વેકસીનના બંને ડોઝ વહેલાસર લઇ આવનારને તકલીફથી સુરક્ષા મળે છે.

વધુમાં જણાવ્યું હતુ કે, અત્યારે નાતજાતને ભૂલી માત્ર મનુષ્ય ધરમ બજાવવા હાકલ કરી હતી. અંતે એવુ પણ કહ્યુ કે ભારતની ભુમિ જપ તપની ભૂમિ છે દેશમાંથી આ મહામારી વિદાય લેશે.

(12:55 pm IST)