સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

પોરબંદરમાં ફરી કોરોના સંક્રમણ વધ્યુઃ ર૪ કલાકમાં ર મૃત્યુઃ નવા ૪૦ કેસઃ ૩૯ દર્દીઓ સાજા થયા

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ર :..  કોરોનાનું સંક્રમણ ફરી વધવા લાગ્યું છે. ર૪ કલાકમાં સારવારમાં રહેલ કોરોનાના ર દર્દીઓના મૃત્યુ થયેલ છે. તેમજ નવા ૪૦ પોઝીટીવ કેસ આવ્યા છે. કોરોનાની સારવારમાં ૩૯ દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

ગઇકાલે ૬૦૪ વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં ૪૦ વ્યકિતઓના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા હતાં.જયારે ર૪ કલાકમાં ર દર્દીઓના મૃત્યુ નીપજયા હતાં.

કોરોનાના નવા પોઝીટીવ કેસ પટેલ કોલોની, ખાપટ, ગોપનાથ શેરી પેરેડાઇઝ વિસ્તારમાંથી આવ્યા છે.

સીવીલ હોસ્પિટલમાં હાલ નવા ૪૬ દર્દીઓ સારવારમાં છે તેમજ હોમ આઇસોલેશનમાં ૧૩૭ વ્યકિતઓ છે.

(12:49 pm IST)