સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

ભાવનગરના બોરડા નજીક મોટી જાગધારના આધેડની લાશ મળી

સવારે ગોપનાથ ફૂલ પધરાવવા ગયા હતા : મૃતદેહ પાસે બાઇક પડેલ હતું

ભાવનગર તા.૧૨ : તળાજા નજીક બોરડા ગામ ના સરકારી દવાખાના સામે મોટી જાગધાર ગામના આધેડનો મૃતદેહ મળેલહતો. આ મૃતદેહ સાથે તેમનુ બાઈક પડેલ હતું.મોત કેમથયુ તેં બાબતે પોલિસે તપાસ હાથધરી છે.

જીણાભાઈ ખાટાભાઈ મકવાણા (ઉ.વ.૫૦)નો મૃતદેહ અહીં લાવવામાં આવેલહતો. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત હોવાની વાત જાણવા મળી હતી.મૃતદેહ બોરડા ગામના સરકારી દવાખાના સામે પડેલ હતો. સાથે તેમની બાઈક હતી.

મૃતકના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે સવારે ગોપનાથ ખાતે ફૂલ પધરાવવા ગયા હતા. મોત કઈ રીતે થયુ તેના સવાલમાં જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત લાગે છે પરંતુ કોઈએ અકસ્માત થતા ,કોઈ વાહને હડફેટે લેતા કે બાઈક સ્લીપ ખાઈ જતા જોયેલ નથી.

(11:48 am IST)