સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

સુત્રાપાડા આરોગ્ય કેન્દ્રની મુલાકાતે મંત્રી

પ્રભાસપાટણ : સુત્રાપાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવીડ-૧૯ની સારવારમાં રહેલા દર્દીઓને રૂબરૂ મળી તેની સારવાર અંગેની જાત માહિતી મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ મેળવેલ હતી. બળેવલા ગામના જાનુબેન ઉકાભાઇ સોલંકી દર્દીના સગા બાલુભાઇ સોલંકી પાસે બેસીને મંત્રીશ્રીએ સારવાર અંગે કોઇ અસંતોષ હોય તો જણાવવા કહ્યુ હતું. દર્દીના સગા બાબુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, ગરીબ વર્ગને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવી પોસાય નહી અમે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે આવેલ અહીંયા કોરોના દર્દીઓની સારવાર કરતા ડોકટરો તેમજ સ્ટાફ પ્રસંશનીય કામગીરી કરે છે. સચોટ માર્ગદર્શન, સારવાર અને દવા આપવામાં આવી રહી છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:34 am IST)