સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો : ૨૪ કલાકમાં ૪૭૩ કેસ નોંધાયા

એક જ દિવસમાં જૂનાગઢના ૪ સહિત જિલ્લામાં ૧૧ના મોત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૨ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થતા ૨૪ કલાકમાં ૪૭૩ કેસ નોંધાયા હતા પરંતુ એક જ દિવસમાં જૂનાગઢના ૪ સહિત જિલ્લામાં ૧૧ના મોત નિપજ્યા હતા.

નવા સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારના રોજ જૂનાગઢ જિલ્લામાં ૫૧૪ કેસ નોંધાયા બાદ ગઇકાલે ૪૧ કેસના આંશિક ઘટાડા સાથે નવા ૪૭૩ કેસની એન્ટ્રી થઇ હતી.

પરંતુ સોમવારે ૮ દર્દીના મોત થયા બાદ ગઇકાલે મૃત્યુઆંકમાં ઉછાળો આવતા ૧૧ દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા. જેમાં જૂનાગઢ સીટીના ૪ તેમજ કેશોદ તથા માળીયાના બે-બે તેમજ જૂનાગઢ ગ્રામ્ય, માણાવદર, મેંદરડાના એક-એક દર્દીએ અલવિદા લીધી હતી.

જૂનાગઢ જિલ્લામાં નવા આવેલા ૪૭૩ કેસમાંથી માત્ર ૨૨૯ કેસ જૂનાગઢ સીટીના છે.

જ્યારે જૂનાગઢ રૂરલ-૧૮, કેશોદ-૩૪, ભેસાણ-૧૬, માળીયા-૫૪, માણાવદર-૨૦, મેંદરડા-૨૮, માંગરોળ-૧૮, વંથલી-૩૧ અને વિસાવદર વિસ્તારમાં ૨૫ નવા કેસની એન્ટ્રી થઇ હતી.

૨૪ કલાકમાં જૂનાગઢના ૧૪૫ સહિત જિલ્લામાં કુલ ૨૭૬ દર્દીએ સ્વસ્થતા પ્રાપ્ત કરતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

બીજી તરફ ગઇકાલે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારના ૧૩૪૬ તેમજ જૂનાગઢ ગ્રામ્યના ૪૩૩૫ લોકોએ વેકિસન લીધી હતી.

(11:00 am IST)