સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

પોરબંદરના બગવદરમાં શ્રી રવિ રાંદલ મંદિરના દર્શન કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરઃ સુજલામ્ સુફલામ્ જળ અભિયાનમાં ઉદ્યમ કરવા માટે બગવદર પહોંચેલા શ્રી વિજયભાઇ રૂપાણીએ અહીં આવેલા શ્રી રવિ રાંદલ મંદિરના દર્શન કરી પૂજન, અર્ચન કર્યા હતા. ગુજરાતના સર્વાંગી સુખ અને આગામી ચોમાસા દરમિયાન સારા વરસાદ માટે તેમણે પ્રાર્થના કરી હતી.

બગવદર ગામે આવેલું શ્રી રવિ રાંદલનું મંદિર વિસ્તારના લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને તળાવના કાંઠે આવેલા મંદિરમાં ભગવાન શ્રી સૂર્યનારાયણ અને તેમના પત્ની દેવી રાંદલ સાથે બિરાજમાન છે. મંદિરની ભવ્ય પરિસર અને દિવ્ય વાતાવરણ ધરાવે છે.

જળ અભિયાનની કાયમી સ્મૃતિ મંદિરમાં રહે માટે મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું અને પ્રકૃત્તિનું જતન કરવા ઉપસ્થિતોને તેમણે અનુરોધ કર્યો હતો.

(5:50 pm IST)