સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

મોટી પાનેલીમાં રામદેવ પીરનો મંડપ તૂટી પડયોઃ માતા-પુત્ર અને પિતા-પુત્રી સહિત ૪ના મોત

ઉપલેટા, તા., ૧રઃ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ખાતે આયોજીત રામદેવ પીરનો મંડપ તુટી પડતા માતા-પુત્ર અને પિતા-પુત્રી સહિત ૪ના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ ઉપલેટા તાલુકાના  મોટી પાનેલીમાં રામદેવ પીરના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંડપ તુટી પડતા જુનાગઢના રૂપાબેન ભરતભાઇ ભરડોયા (કોળી) (ઉ.વ.ર૭) અને તેના પુત્ર રોનક ભરતભાઇ ભરડોયા (ઉ.વ.પ)નું મોત નિપજયું હતું.

જયારે ઇજાગ્રસ્ત મહેશભાઇ લાલજીભાઇ ખાટરીયા (ઉ.વ.૩પ) અને તેની  ૯ માસની માસુમ પુત્રીને ગંભીર ઇજા થતા રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં બંન્નેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

રામદેવ પીરનો મંડપ તૂટી પડતા પાંચ વર્ષના બાળક અને ૯ માસની બાળાનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

આ બનાવની જાણ થતા કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઇ વસોયા હોસ્પીટલે દોડી ગયા હતા.

(3:59 pm IST)