સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

હાલારમાં ૪ના મોત

જામનગર, તા.૧૨:  કાલાવડ તાલુકાના આણંદપર ગામે રહેતા ગૌતમ ચકુભાઈ બગડા ઉ.વ. રપ એ  ફરીયાદ નોંધાવી છે કે,  રોજ શીશાંગ ગામથી આગળ આવેલ હોલી–ડે સીટી સામે આ કામેનો આરોપી મોટર સાયકલ નંબર જી.જે.૧૦–સીએચ–૩૦૧૪ ના ચાલકે  ફરીયાદીના મોટાબાપુ વશરામભાઈ પોલાભાઈ બગડા ઉ.વ. પપ વાળાને હડફેટે લઈ પછાડી દઈ માથાના ભાગે ગંભીર ઈજા કરી મોત નિપજાવી નાશી જઈ ગુન્હો કરેલ છે.

દારૂડીયા આડેધનું મોત

અહીં રણજિતનગરમાં રહેતો જયદીપ કમલેશભાઈ અમરેલીયા ઉ.વ. ર૯ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, શ્રીનિવાસ કોલોની ફલેટ નં. ર૦૧ મા રહેતા ભરત વલ્લભભાઈ પટેલ ઉ.વ. પ૦ ને દારૂ પીવાની ટેવ હોય જે બેડ પર બેભાન હાલતમાં સુતા હતા જેથી ૧૦૮ બોલાવતા ફરજ પરના ડોકટરે તેઓને મૃત જાહેર કરેલ હતા.

પતિ–સાસુએ ઠપકો આપતા પરિણીતાએ આયખું ટુકાવ્યું

 તાલુકાના દરેડ ગામે રહેતી વિજુબેન હેમતભાઈ નંદાણીયા ઉ.વ. ર૩ એ  સાસુ તથા પતિએ કામ બાબતે ઠપકો આપતા માઠુ લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજેલ છે.

પત્નિ રિસામણે ચાલી જતા પતિએ ગળેફાંસો ખાદ્યો

તાલુકાના મસીતીયા ગામે રહેતા ગફારભાઈ બોદુભાઈ ખીરા ઉ.વ. ૩૬ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, યુસુફભાઈ બોદુભાઈ ખીરા ઉ.વ. ૪૦ ની પત્નિ એકાદ વર્ષથી રીસામણે હોય તે કારણે પોતે માનસિક રીતે પડી ભાંગી ગયેલ હોય  પોતાના ઘેર ગળેફાંસો ખાઈ પોતાની જીંદગીનો અંત આણ્યો હતો.

અહીં સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મેરનાબેન પ્રાણજીવનભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે,  સુભાષ માર્કેટથી આગળ નેશનલ હોટલ પાસે ફરીયાદી મેરનાબેનના ઘરે ગૃહપ્રવેશ કરી રાજેશભાઈ રમણીભાઈ ચૌહાણ, કૈલાશબેન રાજેશભાઈ ચૌહાણ, રાજેશભાઈની દિકરી પુજા, ફરીયાદીના દિકરા આશીષની સાળી હિરલબેન એ ઈજા કરી તેમજ   કૈલાશબેને લાકડી વડે મૂંઢ માર મારી  ગાળો આપી  ઈજા કરેલ હોય જેથી ફરીયાદી મેરનાબેને તેમના દિકરા આશીષ સાથે હોસ્પિટલમાં સારવારમાં જતા હતા ત્યારે રસ્તામાં આ કામના આરોપી ચીન્ટુભાઈ રાજેશભાઈ ચૌહાણ એ તલવાર વડે બે ઘા ફરીયાદી મેરનાબેનના દિકરાને મારી તેમજ આ કામના આરોપી રાજેશ રમણીકભાઈ એ મૂંઢ ઈજા કરી નાસી જઈ  ભંગ કરી એકબીજાની મદદગારી કરી ગૃહપ્રવેશ કરી ફરીયાદી મેરનાબેનને માર મારી ગુનો કરેલ છે.

વગર ટીકીટે બસમાં મુસાફરી કરી

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગંભીરસિંહ અરભમજીઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે,  સમદભાઈ ઉર્ફે કાવુ નુરમામદ કાદરી રે. કાલવડ વાળા એ  ગંભીરસિંહ તથા સાહેદ સાથે તેણે લીધેલ ટીકીટ મુજબ એસ.ટી.બસમાં મુસાફરી પુરી થઈ ગઈ હોય છતા આગળ મુસાફરી કરવાનું કહી ફરીયાદી ગંભરસિંહ તથા સાહેદ સાથે બોલાચાલી કરી ગાળો અપી ઢીકાપાટુનો માર મારી ચાલુ ફરજે રૂકાવટ કરી સરકારી નોકર ઉપર હુમલો કરી ગુનો કરેલ છે.(૨૨.૧૧)

(12:28 pm IST)