સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

જામજોધપુરમાં આધારકાર્ડ કઢાવવાની કામગીરી ધીમીઃ વધુ એક કેન્દ્ર ખોલવા માંગણી

જામજોધપુર તા. ૧ર :.. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર માત્ર એકજ મામલતદાર કચેરીએ આધારકાર્ડની કામગીરી ચાલતી હોય અને તે પણ ધીમી ગતી એ હોય, અડધો દિવસ સુધી ઉભા રહેવું પડે છે.

શહેર તથા તાલુકાના લોકો ખેડૂતો, મજૂર વર્ગ - વેપારી સહિત સીનીયર સીટીજનો અને સામાન્ય લોકો પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને નવા આધારકાર્ડ તેમજ સુધારો કરવા ધકકા ખાઇ રહ્યા છે.ધીમી કામગીરીથી ત્રાહીમામ પોકારી ગયા છે. આમ આધાર કાર્ડ કાઢવા માટે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાલુકા પંચાયત કચેરીએ તાત્કાલીક નવુ કેન્દ્ર શરૂ કરવા હોથીજી ખડબા, સિધ્ધરાજસિંહ જાડેજાએ માંગણી કરી છે.

(11:52 am IST)