સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

વઢવાણમાં સરકારી ઘાસના ગોડાઉનમાં ભીષણ આગ: ધોળીપાળ વિસ્તારના ગોડાઉનમાં આગ લાગતા ઘાસ બળીને ખાખ

રાજકોટ : સરકારી ગોડાઉનમાં આગ લાગવાનો સિલસિલો ચાલુ છે મગફળીના ગોડાઉનોમાં આગના બનાવો બાદ હવે સુરેદ્રનગરના વઢવાણમાં ઘાસના ગોડાઉનમાં આગ લાગી છે

 

વઢવાણના  ધોળી પાળ વિસ્તારમાં આવેલા સરકારી ગોડઉનમાં આગ લાગી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. આગના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલ ઘાસ બળીને ખાખ થયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજકોટના શાપરના મગફળીના ગોડાઉમાં આગ લાગતા અનેક તર્ક-વિતર્ક ઉભા થયા હતા. આ આગ 5 દિવસ બાદ સંપૂર્ણ કાબૂમાં આવી હતી.

આ પહેલા 2 જાન્યુઆરીના રોજ ગાંધીધામના મીઠીરોહર પાસે સરકારી ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલી અને ગોડાઉનમાં સંગ્રહિત અંદાજે 10 કરોડની કિંમતની મગફળીનો બળીને ખાખ થઈ હતી.

(11:00 am IST)