સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

કુવાડવા વાંકાનેર વચ્ચે પીપરડી ગામે બોઇલર-ભઠી ફાટતાં પંદર-વીસ લોકો ફસાયા : ૩ થી ૫ લોકોના મોત: મૃત્યુ આંક વધવાનો ભય

રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર રાજકોટ થી 19 કિલોમીટર કુવાડવા આવે છે. કુવાડવાથી વાંકાનેર જતા રસ્તામાં પીપરડી ગામે બોઇલર ભઠ્ઠી ફાટતાં ૧૫થી ૨૦ લોકો ફસાઇ ગયાનું પ્રાથમિક જાણવા મળે છે. ૪ થી ૫ ઇજાગ્રસ્તો બહાર નીકલ્યાનું પણ કહેવાય છે.

રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર કુવાડવાથી વાંકાનેર જતા પીપરડી ગામે બોઇલર ભઠ્ઠી ફાટતાં પાંચેક લોકોના મોત થયાના અહેવાલો મળી રહ્યા છે. સત્તાવાર સમર્થન મેળવાઈ રહ્યું છે.

(10:33 pm IST)